રવિવાર, 24 નવેમ્બર, 2013

અપશુકનિયાળ મોંઢું


શેઠ હુકમચંદ જમવા બેસતા હતા.સોનાની થાળી અને સોનાના વાટકા,સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓ…કારણકે હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા.જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો(પંખો) પકડી શેઠની સેવામાં હાજર હતા.દાસ-દાસીઓ પીરસવા તૈયાર ઉભા હતા ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા-"શેઠ,ચાલો રાજા હમણાંને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ઘાલી દેજો.માટે શેઠ, તમે તરત આગળ ચાલવા માંડો."

હુકમચંદશેઠને ગુસ્સો તો ઘણો જ આવ્યો પણ શું કરે???આ તો શાહી ફરમાન હતું એટલે જવું જ પડે ને???શેઠ તો ચાલ્યા. રાજ દરબારમાં રાજા સિંહાસન પર બેઠેલા હતા અને ગુસાથી દ્રુજતા હતા, આંખો લાલચૉળ હતી. હુકમચંદશેઠ ને જોઇને બોલ્યા. આ માણસને હાલને હાલ ફાંસી આપો. હુકમચંદ તો નવાઈ પામી ગયા કે મારો કયો ગુનો થયો છે???પણ રાજા આગળ કશું જ બોલી શકાય થોડું??? સેવકો તેમને ફાંસીના માંચડા પાસે લઈ ગયા. કેટલાક શાણા માણસો હતા તેમને થયું કે આ તો બહુ જ ખોટું થઈ રહ્યું છે. પણ રાજાને સમજાવે કોણ???બધએ કહ્યું બિરબલને મળો .તે ખૂબ ચતુર છે અને રાજાને માત્ર તે જ સમજાવી શકશે. બે-ચર જણ દોડ્યા બિરબલ પાસે અને બધી વાત કરી.બિરબલ બોલ્યા-"કશો વાંધો નહીં .તમે તમારે જઓ અને હું બાદશાહને સમજાવું  છું"બિરબલ રાજા પાસે ગયા અને બોલ્યા" નામદાર, આ બિચારા હુકમચંદનો એવો તો શો ગુનો છે કે તમે તેમને ફાંસીના માંચડે લટકાવવાનું કહો છૉ???"અકબર બોલ્યા-"બિરબલ તું વચમાં બોલીશ જ નહીં. આ અપશુકનિયાળ માણસ મારા રાજ્યમાં જોઈએ જ નહીં. આજે સવારે સૌથી પહેલું મોઢું મેં તેનું જોયું અને બધું ખરાબ જ બન્યું છે.સવારમાં જ હું કઢેલું દૂધ પીવા જતો હતો તો તે મારા કિંમતી પોશાક પર ઢોળાયું. પછી તૈયાર થઈ દરબારમાં જતો હતો ત્યાં સમાચાર આવ્યા કે બેગમના ભાઈ ગુજરી ગયા છે એટલે ત્યાં જવું પડ્યું. આવીને જમવા બેઠો તો ભોજનમાં ઉપરથી ગરોળી પડી, હજી આ પૂરું થયું ન હતું ત્યાં સમાચાર આવ્યા કે પાડૉશી રાજ્યાના રાજા યુધ્ધ કરવા આવ્યા છે એટલે ત્યાં દોડવું પડ્યું…."મારે આ માણસનું અપશુકનિયાળ મોંઢું મારા રાજ્યમાં જ ના જોઇએ."બિરબલ હુકમચંદશેઠ પાસે ગયો અને તેમને કાનમાં કાંઇક કહ્યું. પછી રાજા પાસે આવીને બોલ્ય,'જહાંપનાહ, ભલે તમારી જેવી મરજી. રાજા હુકમ આપે પછી કોઇથી કશું બોયાય ખરું???  પણ મારી એક નમ્ર વિનંતી છે કે ફાંસી આપવાની હોય ત્યારે માણસ્ને તેની અંતિમ ઈચ્છા તો પૂછવી જ જોઈએ."અકબર બોલ્યા," બોલ શેઠ, તારે શું કહેવું છે??"હુકમીચંદ બોલ્યા,'નામદાર, હું શું કહું??? તમે મારું અપશુકનિયાળ મોઢું જોયું તો ઘણી જ ખરાબ ઘટનાઓ બની. તે બદલ હું દિલગીર છું . પણ મને વિચાર આવે છે કે મેં તો તમારૂં જ મોંઢું જોયું હતું અને મને ફાંસી મળી. હવે આપ જ કહો વધારે કે અપશુકનિયાળ મોંઢું કોનું????"રાજ તો વિચારમાં પડી ગયા. પ્છી હસતા હસતા બોલ્યા,"છોડી દો ષેઠને અને માન સાથે તેમને દરબારમાં લઈ આવો."બધા જ બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા પણ બોલી ઉઠ્યા,"બિરબલ, તું નાહોત તો આ ગુણવાન શેઠને ગુમાવત. તેં મારઇ અને રાજ દરબારની લાજ રાખી. તારો ખૂબ ખૂબ આભાર."



Sent from my h.mangukiya